Friday, April 19, 2024
HomeGujaratમોરબીના ભડીયાદ ગામે જુના ઝઘડાનો ખાર રાખી છરી અને છુટા પથ્થરના ઘા...

મોરબીના ભડીયાદ ગામે જુના ઝઘડાનો ખાર રાખી છરી અને છુટા પથ્થરના ઘા ઝીંક્યા

મોરબી તાલુકાના ભડીયાદ ગામે આવેલ કારખાના નજીક બે યુવાનો વચ્ચે અગાઉના ઝઘડાનો ખાર રાખી માથાકૂટ સર્જાઈ હતું જેમાં છરી અને છુટા પથ્થરના ઘા થયા યુવાનને ઇજા થઇ હતી જેને લઈને મોરબી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

ભડીયાદ ગામે નળીયાના કારખાના નજીક કાનાભાઇ સામજીભાઇ મુછડીયાને ભરતભાઈ ઉર્ફે લાલો ગૌતમભાઈ બોચીયા (ઉવ.૨૨ રહે.લખધીરપુરના નાકે મોરબી) પાસેથી ભાડું લેવા બાબતે આગાઉ બોલાચારી થઈ હતી આ માથાકુટનું વેર વાળવા ગત તા.7 ના રોજ રાત્રીના સમયગાળા દરમિયાન આરોપી ભરતભાઈ ઉર્ફે લાલો ગૌતમભાઈ બોચીયાએ ગાળો આપી નેફામાંથી છરી કાઢી જાનથી મારી નાખવાાના ઇરાદે છરી વડે હુમલો કર્યો હતો.જેને લઈને કાનાભાઈને છાતીના ડાબા ભાગે જીવલેણ ઇજા થઈ હતી આ ઉપરાંત પથ્થરનો છુટો ઘા માથામાં ઝીંકતા ઇજા પહોંચી હતી.

આ અંગે કાના ભાઈએ તાલુકા પોલીસ મથકમાં આરોપી ભરતભાઈ ઉર્ફે લાલો ગૌતમભાઈ બોચીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે આઇ.પી.સી.કલમ-૩૦૭,૩૩૭,૩૨૪,૫૦૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!