Thursday, April 25, 2024
HomeGujaratમોરબીમાં પત્નીને મોતને ઘાટ ઉતારનાર હત્યારા પતિને ગણતરીના દિવસોમાં ઝડપી લેતી પોલીસ

મોરબીમાં પત્નીને મોતને ઘાટ ઉતારનાર હત્યારા પતિને ગણતરીના દિવસોમાં ઝડપી લેતી પોલીસ

મોરબીના સમાકાંઠા વિસ્તારમાં પત્નીને મોતને ઘાટ ઉતારી પતિ નાશી છૂટ્યો હોવાનો બનાવ પ્રકાશમા આવ્યો હતો જે અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી ગણતરીના દિવસોમા જ હત્યારા પતિને દબોચી લીધો હતો.જેની પૂછપરછમાં પત્ની વારંવાર કામ ધંધો કરવાનું કહેતી હોવાથી કાસળ કાઢી નાખ્યાની આરોપીએ કબૂલાત આપી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વિદ્યુતનાગરમાં રહેતા પ્રવીણ મંછારામ કુબાવતે ગૃહકંકાશ અને શંકાને પગલે દસ્તાના ઘા ઝીકી પોતાની પત્ની ભાવનાબેન પ્રવીણભાઈ કુબાવતની હત્યા નિપજાવી હતી. ત્યારબાદ આરોપી નાશી છૂટ્યો હતો. આ બનાવને લઈને મૃતકનીં પુત્રી ઉર્વીસાબેન મેહુલભાઇ રામાનંદીએ આરોપી પિતા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેની પ્રાથમિક તપાસમાં આરોપી ભાવનગર પંથકમાં ભાગી ગયો હોય જે મોરબી આવવાની ફિરાકમાં હોવાની પોલીસને બાતમી મળી હતી. આથી પોલીસે ત્રાજપર ચોકડી નજીક વોચ ગોઠવી આરોપી પ્રવીણ કુબાવતને ઝડપી લીધો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીને પોતાની પત્નીને વારંવાર કામ ધંધો કરવાનું કહેતી હતી જેને લઈને તેઓ વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો આથી કંટાળી જઈ પોતાની પત્નીની ક્રૂર હત્યા નિપજાવી હોવાનું કબૂલાત આપી હતી આ અંગે પોલીસે કાર્યવાહી આગળ ધપાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!