Friday, April 19, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં અપમૃત્યુનાં ચાર બનાવો

મોરબી જિલ્લામાં અપમૃત્યુનાં ચાર બનાવો

મોરબી : ટીંબડી પાટિયા નજીક ઝેરી દવા પી લેતા યુવાનનું સારવાર દરમ્યાન મોત

- Advertisement -
- Advertisement -

મોરબીના રણછોડનગરના રહેવાસી હસમુખભાઈ જેન્તીભાઇ કવૈયા (ઉં.વ.૩૮) નામનાં યુવાને ગઈકાલે કોઈ કારણોસર ટીંબડી ગામનાં પાટીયા પાસે ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન યુવાનનું મોત નિપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકાના કેરાળા ગામે કારખાનામાં બીમારી સબબ યુવાનનું મોત

મોરબી તાલુકાનાં કેરાળા ગામે સ્પીરોન એલ.એલ.પી. સીરામીકનાં લેબર ક્વાર્ટરમાં રહેતા રાહુલભાઈ બારસીગભાઈ રાઠવા (ઉં.વ.૨૭) નામનો યુવાન ત્રણ ચાર દિવસથી બીમાર હોય ગઈકાલે તેનું મોત નિપજ્યું હતું. બાદમાં તેની ડેડબોડીને મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ટંકારા : હડમતીયા ગામે કડિયા કામ કરતી વેળાએ હૃદયરોગ હુમલો આવતાં આધેડનું મોત

અમદાવાદનાં રહેવાસી વસરામભાઈ જેઠાભાઈ સોંદરવા (ઉ.વ.૫૫)નામનાં આધેડ હડમતીયા ગામે પાલનપીરની જગ્યા સામે પ્લાસ્ટરનું કડિયા કામ કરતા હોય ત્યારે ચક્કર આવતા પડી ગયા હતા અને બાદમાં હૃદયરોગનો હુમલો આવી જતા તેઓનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

માળીયા : ઘાટીલા ગામે બાથરૂમમાં પડી જતાં વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત

માળીયા તાલુકાનાં ઘાટીલા ગામે રહેતા નરશીભાઈ પ્રેમજીભાઈ સનીયારા (ઉં.વ.૮૦) નામનાં વૃદ્ધ ગત તા. ૨૩ જુલાઈનાં રોજ પોતાના ઘરે બાથરૂમમાં પડી જતાં ઈજા થતાં તેઓને રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન ગઈકાલે તેઓનું મોત નિપજ્યું હતું. માળીયા પોલીસે બન૨વ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!