Friday, March 29, 2024
HomeGujaratમોરબીની નવયુગ વિદ્યાલય ખાતે કોરોના પ્રોટોકોલ સાથે ઉજવાયો સ્વાતંત્ર્ય દિન

મોરબીની નવયુગ વિદ્યાલય ખાતે કોરોના પ્રોટોકોલ સાથે ઉજવાયો સ્વાતંત્ર્ય દિન

નવયુગ વિદ્યાલય – મોરબી ખાતે સ્વતંત્રતા પર્વ 15મી ઓગસ્ટની ઉજવણી માટે કોરોના પ્રોટોકોલ તેમજ સરકારની ગાઇડલાઇન મુજબ મર્યાદિત વિદ્યાર્થીઓ અને નિશ્ચિત સમયમર્યાદા સાથે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે RSSના કાર્યકર ભીમજીભાઈ અઘારા તેમજ નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા ઉપસ્થિત રહ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપ્રેમ અને દેશદાઝની ભાવના ઉજાગર કરતી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. નવયુગ વિદ્યાલય મેનેજમેન્ટ ટીમ, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ દેશભક્તિ અને ઉત્સાહ-ઉમંગ સાથે આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!