Thursday, May 2, 2024
HomeGujaratઝૂલતા પુલ દુર્ઘટનાનો જયસુખ પટેલને ૮૭ દિવસે થયો અફસોસ!ગુજરાત હાઇકોર્ટમાં આપ્યો જવાબ

ઝૂલતા પુલ દુર્ઘટનાનો જયસુખ પટેલને ૮૭ દિવસે થયો અફસોસ!ગુજરાત હાઇકોર્ટમાં આપ્યો જવાબ

ગત ૩૦ ઓકટોબર ના રોજ ઝૂલતા પુલ તૂટી પડવાનું ગોઝારી ઘટના બની હતી ત્યાર બાદ સમગ્ર દેશ માં હાહાકાર મચી ગયો હતો તેમજ સમગ્ર વિશ્વ ના ખૂણે ખૂણેથી લોકો મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવી રહ્યાં હતા જેમાં ભારત દેશના વડાપ્રધાન તેમજ ગૃહમંત્રી ત્યાં સુધી કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દ્વારા પણ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું કેમ કે તેઓની માનવતા ના ધોરણે ફરજ હતી જે તેમને નિભાવી પરંતુ એક વ્યક્તિ કે જે મોરબી થી જોડાયેલો છે અને સમગ્ર મોરબી દ્વારા ભૂતકાળમાં જયસુખ પટેલના પરિવારને અપાર પ્રેમ સાથ સહકાર આપ્યો છે અને ઝૂલતો પુલ જે તૂટ્યો હતો તેને પાંચ દિવસ પેહલા ખુલ્લો પણ જયસુખ પટેલ એ જ મૂક્યો હતો આમ જોવા જઈએ તો જયસુખ પટેલ મોરબીવાસી તરીકે આને ટોચના ઉદ્યોગ પતિ તરીકે તેમજ સૌથી મહત્વનું કે ઝૂલતો પુલ ના સંચાલન કરનાર કંપની ના ઓનર અને કંપની તરફથી કરાર માં સહી કરનાર જવાબદાર વ્યક્તિ તરીકે ની તમામ ફરજ ચૂક્યો છે.

- Advertisement -
- Advertisement -

ત્યારે અગાઉ ગુજરાત હાઇકોર્ટમાં જયસુખ પટેલના વકીલે સુઓમોટો સુનવણીમાં પક્ષકાર તરીકે જોડાવા અરજી કરી હતી જે અરજી આજે હાઇકોર્ટ દ્વારા સ્વીકારી લેવામાં આવી છે અને પક્ષ કાર તરીકે જોડવા મંજૂરી આપી છે જેમાં ઘટનાના ૮૭ દિવસ પછી જયસુખ પટેલ દ્વારા જવાબ પણ રજૂ કરાયો હતો કે “મને અફસોસ છે વળતર આપી ને હું મારી જવાબદારી માંથી છૂટી નથી જતો પરંતુ મને મારો જવાબ યોગ્ય રીતે રજૂ કરવા મોકો મળવો જોઈએ અને ઝૂલતો પુલ નુ રીનોવેશન કામ મને વગદાર લોકોએ સોંપ્યું હતી જેમાં મારો કોઈ કોમર્શિયલ ઇરાદો ન હતો અને ફકત હેરિટેજ બચાવવા માટે આ કરવામાં આવ્યું હતું અને હું તમામ મૃતકો પરિજનોને વળતર પણ આપીશ” ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વળતર ચૂકવી દેવાથી જવાબદારીમાંથી છટકી જવાતું નથી અને હાઇકોર્ટ દ્વારા જયસુખ પટેલ પર જરૂરી પગલાં લેવા માટે પણ સરકારને ટકોર કરી હતી .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!