Saturday, July 27, 2024
HomeGujaratમોરબીમાં દેવર્ષિ નારદ જયંતિ નિમિતે “પત્રકાર મિલન સમારોહ’'નું આયોજન

મોરબીમાં દેવર્ષિ નારદ જયંતિ નિમિતે “પત્રકાર મિલન સમારોહ’’નું આયોજન

દેવઋષિ નારદ મુનિના જન્મ દિવસ તરીકે વૈશાખ મહિનાના વદ પક્ષની બીજ તિથિએ નારદ જયંતી ઉજવવામાં આવે છે. ત્યારે આ વર્ષ મોરબીમાં દેવર્ષિ નારદ જયંતિ નિમિતે વિશ્વ સંવાદ કેન્દ્ર મોરબી જિલ્લો દ્વારા “પત્રકાર મિલન સમારોહ’’નું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

વિશ્વ સંવાદ કેન્દ્ર મોરબીના જણાવ્યા અનુસાર, સૃષ્ટિના આધ્ય પત્રકાર ‘દેવર્ષિ નારદ’ની ‘દેવર્ષિ નારદ જયંતિ’’ના પાવન અવસરે વિશ્વ સંવાદ કેન્દ્રની આગવી પરંપરા અનુસાર આગામી તા.૨૧-૦૫-૨૦૨૩ને રવિવારના રોજ રાત્રે ૯:૦૦ કલાકે સંઘ કાર્યાલય, કેશવ કુંજ, ચિત્રકુટ સોસાયટી ચોક, કન્યા છાત્રાલય રોડ, મોરબી ખાતે “પત્રકાર મિલન સમારોહ”નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વકતા તરીકે કિશોરભાઇ મંગલપરા- સેવા ભારતી ગુજરાત પ્રાંત ઉપસ્થિત રહેશે. તેમજ મોરબીના તમામ પત્રકાર મિત્રોને આ પાવન અવસરે ઉપસ્થિત રહેવા વિશ્વ સંવાદ કેન્દ્ર-મોરબી દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!