Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેરમા સગીરા સ્કૂલે ગયા બાદ પરત ન ફરતા અજાણ્યા શખ્સ વિરુદ્ધ અપહરણની...

વાંકાનેરમા સગીરા સ્કૂલે ગયા બાદ પરત ન ફરતા અજાણ્યા શખ્સ વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાઇ

વાંકાનેર માં રહેતી અને ધોરણ ૧૧ માં અભ્યાસ કરતી સગીરા સ્કૂલે ગયા બાદ પરત ન ફરતા ચિંતાતુર વાલીએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં વધુ વિગત મુજબ વાંકાનેરમાં રહેતી અને ધોરણ ૧૧ મા અભ્યાસ કરતી સગીરા અને તેનો નાનો ભાઈ ધોરણ આઠ માં અભ્યાસ કરે છે જેથી બન્ને ભાઈ બહેન સવારે સ્કૂલે ગયા હતા ત્યાર બાદ બપોરે રોજ ના નિત્યક્રમ મુજબ બપોરે સ્કૂલથી આવવાના સમયે ભાઈ ઘરર આવ્યો હતો પરંતુ સગીર વયની બહેન તેની સાથે ઘરે આવી ન હતી જેથી માતાને થયું કે દીકરી ટયુશન માં ગઈ હશે પરંતુ ટયુશન બાબતે દીકરાને પૂછતા ટયુશન ચાલુ થયા ન હોવાનું જણાવ્યું હતું જેથી દીકરી ને શોધવા માટે પરિવારજનો એ આકાશ પાતાળ એક કર્યા પરન્તુ દીકરીની ભાળ ન મળતા અંતે પરિજનોએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ અપહરણ ની ફરિયાદ નોંધાવી છે.જેથી પોલીસે ગુનો નોંધી ને સગીરા ને શોધી કાઢવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!