Sunday, May 19, 2024
HomeGujaratમાળીયા મિયાણા પોલીસે ગુમ થયેલી અસ્થિર મગજની સગીરાનો પરિવાર સાથે ભેટો કરાવ્યો

માળીયા મિયાણા પોલીસે ગુમ થયેલી અસ્થિર મગજની સગીરાનો પરિવાર સાથે ભેટો કરાવ્યો

માળીયા મિયાણા પોલીસે વીસેક દિવસ અગાઉ વતન દાહોદમાંથી ગુમ થયેલી અસ્થિર મગજની સગીરાનો પોતાના પરિવારજનો સાથે ભેટો કરાવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

માળીયા મિયાણા પોલીસને શહેનશાહ વલીના પાટીયા પાસેથી મનીષાબેન શંકરભાઇ મથુરભાઇ બજાણ (ઉ.વ .૧૭)રહે.નારતોડ, તા. દેવગઢ બારીયા જી.દાહોદવાળી મળી આવતા જેની તપાસ હાથ ધરી હતી જે અસ્થિર મગજની હોવાથી આજથી વીસેક દિવસ પહેલા પોતાના વતનમાં કોઇને કહ્યા વગર નીકળી ગઇ હતી. જેની જાણ થતાં પોલીસે સગીરાના પિતા શંકરભાઇ મથુરભાઇ બજાણનો સંપર્ક કરી પોલીસ સ્ટેશન ખાતે બોલાવી ગુમ થયેલી સગીરાને તેના પરીવાર સાથે પુન : મિલન કરાવી યશસ્વી કામગીરી કરી હતી. આ કામગીરી દરમિયાન પીએસઆઈ એન એચ.ચુડાસમા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કીપાલસિંહ ચાવડા, ગીરીશભાઇ મારૂણીયા, કોન્સ્ટેબલ રાહુલભાઇ ડાંગર, મુકેશભાઇ વાસાણી, કીશોરભાઇ, મોસીનભાઇ સીદી સહિતના હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!