Friday, April 26, 2024
HomeGujaratમોરબીવાસીઓની આતુરતાનો અંત: રીનોવેશન બાદ મણિ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું

મોરબીવાસીઓની આતુરતાનો અંત: રીનોવેશન બાદ મણિ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું

મોરબી શહેરની શાન સમાન ઐતિહાસિક મણિ મંદિરના રીનોવેશન બાદ હવેથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં અવાતા મોરબીવાસીઓની અતુરતાનો અંત આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના વાઘ મહેલ અને મણિ મંદિર તરીકે ખ્યાતનામ મંદિરમાં 130 ઓરડાઓ અને વચ્ચે મંદિર આવેલ છે જેનું મહારાજા વાઘજી ઠાકોરે નિર્માણ કરાવ્યું હતું. જેને સમયના વ્હાણાં વિતી જતા ભૂકંપ અને હોનારતમાં નુકશાન થયુ હતું આથી તેનું રીનોવેશન કરવા અંગે નિર્ણય લેવમા આવ્યો હતો. હાલ 27 કરોડના ખર્ચે નિર્માણ કાર્ય સંપન્ન થતા આજથી આ મણિ મંદિર ખુલ્લું મુકવામાં આવ્યું છે.જેનો દર્શનાર્થીઓ લાભ લઇ શકશે.ઉલ્લેખનીય છે કે ફક્ત મંદિર જ ખુલ્લું મુકવામાં આવ્યું છે જેમાં સવારે 9 થી 12 અને સાંજે 4 થી 7 સુધી લોકો ને દર્શન કરવાની છૂટ અપાઈ છે ઉપરાંત મહેલમાં અન્ય જગ્યાએ જવાની મંજુરી આપવામાં આવી ન હોવાનું જાહેર થયું છે.

ટૂંક ઇતિહાસ

મોરબી શહેરમાં આવેલો મહેલ છે, જે Wellingdon Secretariatના નામે પણ ઓળખાય છે. વાઘ મહેલ તરીકે પણ ઓળખાતું આ માળખું ૧૯૩૫માં મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે બનાવ્યું હતું. તેમાં ૧૩૦ ઓરડાઓ તથા વચ્ચે મંદિર આવેલ છે. જેમાં લક્ષ્મી નારાયણ, કાલિકા, શ્રી રામ, રાધા કૃષ્ણ તથા શિવજીના મંદિરો છે. આ મહેલના બાંધકામનો ખર્ચો તે સમયે ૩૦ લાખ થયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!