Sunday, May 5, 2024
HomeGujaratમોરબીમાં આર્થિક સંકડામણને કારણે પિતા ઘરેથી ચાલ્યા જતા પુત્રએ કરાવી ગુમ નોંધ

મોરબીમાં આર્થિક સંકડામણને કારણે પિતા ઘરેથી ચાલ્યા જતા પુત્રએ કરાવી ગુમ નોંધ

મોરબીમાં આર્થિક સંકડામણને કારણે નવલખી ફાટક પાછળ, આવેલ લાયન્સ નગર ખાતે રહેતા કિશોરભાઇ કાનજીભાઇ પરમાર (ઉ.વ.૪૫) ઘરેથી ઇંડા લેવા જવાનું કહીને ગત તા.11 ના રોજ થી ક્યાંક ચાલ્યા ગયા હતા. જે અંગે પરિવારજનોને જાણ થતાં આજુબાજુ અને સગાસબંધીઓએ ટેલિફોનિક પૂછપરછ કરી હતી પરંતુ કિશોરભાઈની ભાળ ન મળતા અંતે તેના પુત્ર પરેશભાઇ કિશોરભાઇ પરમાર (ઉ.વ.૨૦)એ મોરબી સીટી બી ડિવીઝન પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવી હતી.

- Advertisement -
- Advertisement -

આ અંગે કોઈ પણ શહેરીજનોને જાણ થઈ તો નજીકના પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા અનુંરોધ કરાયો છે. ગુમ થયેલ કિશોરભાઈની ઉંચાઇ આશરે સાડા પાંચ જેટલી છે અને રંગ શ્યામ વર્ણા છે અને શરીરે કાળા કલરનૂ સ્વેટર પહેર્યું હોવાનું પોલિસ મથકમાં જાહેર થયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!