Friday, April 26, 2024
HomeGujaratમોરબી કલેકટર સહિતના અધિકારીઓ દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત કરાઈ

મોરબી કલેકટર સહિતના અધિકારીઓ દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત કરાઈ

મોરબી કલેકટર જે. બી. પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી પી. જે. ભગદેવ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરા, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.વારેવાડીયા સહિતના અધિકારીઓએ મોરબીમાં કન્ટેન્ટ મેન્ટઝોનની મુલાકાત લીધી હતી. આ તકે તેઓએ કોરોના પોઝીટીવ દર્દીઓની મુલાકાત કરી તેમની તબિયતના ખબર અંતર પૂછ્યા હતા તેમજ અન્ય કોઈ મુશ્કેલી પડી રહી છે કે કેમ તે અંગે સંવાદ કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

વધુમાં મોરબીમાં કોરોનાની ચેપી ચેઇન તોડવા અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 6 ધનવંતરી રથ અને હોમ આઇશોલેશનમાં રહેલા પોઝીટીવ દર્દીઓની આરોગ્ય તપાસ માટે 8 સંજીવની આરોગ્ય રથ દોડતા કરાયા છે ત્યારે આજે અધિકારીઓએ ધનવંતરી રથ અને સંજીવની રથ ની કામગીરીની પણ સમીક્ષા કરી હતી હોમ આઈશોલેશનમાં રહેલા મોટા ભાગના તમામ દર્દીઓએ અગાઉ કોરોના રસીના બંને ડોઝ લઈ લીધેલ હોઈ કોરોનાના કોઈ ગંભીર લક્ષણો જોવા મળેલ નથી. તેમજ હોસ્પિટલમા દાખલ થવાની પણ જરૂર પડેલ નથી આથી કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મોરબીવાસીઓએ વેકશીનના બંને ડોઝ તુરંત લઈ લેવાની અપીલ કરાઇ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!