Thursday, April 25, 2024
HomeNewsHalvadહળવદ નજીક ખાખરેચી ગામની પરિણીતા પુત્ર સાથે લાપતા

હળવદ નજીક ખાખરેચી ગામની પરિણીતા પુત્ર સાથે લાપતા

માળીયાના ખાખરેચી ગામની પરિણીતા અને તેનો પુત્ર હળવદ નજીકથી ગુમ થઈ ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે.જેમાં પરિણીતા પોતાના પુત્ર સાથે પિયર સુરેન્દ્રનગરથી સાસરે માળીયાના ખાખરેચી ગામે જવા નીકળી ત્યારે રસ્તામાં ગુમ થયાની ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે બન્નેની શોધખોળ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

માળીયાના ખાખરેચી ગામની પરિણીતા ભારતીબેન વિજયભાઈ ભરવાડ ઉ.વ.24 અને તેનો 11 માસનો પુત્ર શ્રેયાસ સાથે પોતાના પિયર સુરેન્દ્રનગર ગઈ હતી અને બાદમાં પરિણીતા પુત્ર સાથે ગત તા.26 ના રોજ સવારે સુરેન્દ્રનગરથી પરત માળીયાના ખાખરેચી ગામે જવા નીકળી હતી.પરંતુ ખાસ્સો સમય થવા છતાં પરિણીતા તેના પુત્ર સાથે માળીયાના ખાખરેચી ગામે સાસરિયામાં ન પહોંચતા તેના સાસરિયા પક્ષ અને પિયર પક્ષના લોકોએ બન્નેની શોધખોળ કરી હતી.પરંતુ આજદિન સુધી પરિણીતાનો પત્તો ન લાગતા અંતે હળવદ પોલીસ મથકે તેના પરિવારજનોએ બન્નેની ગુમસુદા નોંધાવી હતી.આથી હળવદ પોલીસે બન્ને માતા-પુત્રની શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!