Friday, May 3, 2024
HomeGujaratમોરબી : ગઈકાલે પાવડીયારી નજીક થયેલ અકસ્માતનાં બનાવમાં ફરિયાદ નોંધાઈ

મોરબી : ગઈકાલે પાવડીયારી નજીક થયેલ અકસ્માતનાં બનાવમાં ફરિયાદ નોંધાઈ

ડબલ સવારી બાઈક પર ટ્રેલર ફરી વળતા યુવાનનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું, અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ સોચ સિરામિકમાં રહેતા મૂળ ઉતરપ્રદેશના વતની આશિષભાઈ શિવચરણભાઈ દ્રિવેદી (ઉ.વ.૨૬) એ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ટ્રેલર નં. જીજે-૧૨-બીવી-૬૧૨૨ના ચાલકે પોતાનું વાહન મોરબી તરફથી પાવડીયારી તરફ જવાના રસ્તે પુર ઝડપે ચલાવીને ફરિયાદી આશિષભાઈ પોતાના બાઈક નં. યુપી-૬૫-બીબી-૦૨૮૦ સાથે રંગપર ગામની સીમ સીયારામ સિરામિકની ઓફીસ સામે રોડ ક્રોસ કરવા જતા હોય દરમ્યાન ઓચિંતી ઓટો રીક્ષા આવી જતા બાઈક તેની સાથે અથડાતા ફરિયાદી આશિષભાઈ તથા તેમની પાછળ બેઠેલ વ્યક્તિ બાઈક સાથે રોડ પર પડી જતા ફરિયાદી આશિષભાઈ તથા પાછળ બેઠેલ ચિરાગભાઈ મનસુખભાઈ ચાવડાને ટ્રેલરે હડફેટે લેતા ફરિયાદી આશિષભાઈને માથાના ભાગે તથા બંને હાથે સામાન્ય ઈજા તેમજ ચિરાગભાઈને માથે ટેઈલર નું વ્હીલ ફરી વળતા તેને ગંભીર ઈજા થતા સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું તો અકસ્માત બાદ ટેઈલર ચાલક ટ્રક મૂકી નાશી છુટ્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. મોરબી તાલુકા પોલીસે અકસ્માતનાં બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!