Thursday, April 18, 2024
HomeGujaratમોરબી : સ્વજનની સ્મૃતિમાં પરિવાર દ્વારા પરશુરામધામ ચેરીટેબલ ટ્રસ્ટને એમ્બ્યુલન્સની ભેટ આપવામાં...

મોરબી : સ્વજનની સ્મૃતિમાં પરિવાર દ્વારા પરશુરામધામ ચેરીટેબલ ટ્રસ્ટને એમ્બ્યુલન્સની ભેટ આપવામાં આવી

વૈશ્વિક મહામારી કોરોનાએ મોરબીને બાનમાં લીધું છે. અનેક સેવાભાવી લોકો આગળ આવી લોકોની સેવા કરી માનવતા મહેકાવી રહ્યા છે ત્યારે ઈમરજન્સીનાં સમયે તાત્કાલિક મેડિકલ સારવાર મળી રહે અને ઝડપથી દર્દીને હોસ્પિટલ પહોંચાડી શકાય તેવા હેતુથી આજે તા.૯નાં રોજ મોરબીનાં પરશુરામ ધામ ખાતે સ્વ. ભુપતભાઈ ઠાકરની સ્મૃતિમાં તેમના પરિવાર નયનાબેન અને જયદીપભાઈ દ્વારા લોકહિત માટે એમ્બ્યુલન્સ ભેટ આપવામાં આવી હતી. જેનાં લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય બ્રિજેશ મેરજા, મણિભાઈ સરડવા, બ્રહ્મ સમાજનાં અગ્રણીઓ અનિલ મહેતા, ભુપતભાઇ પંડ્યા, હસુભાઈ પંડ્યા, ડો. લહેરૂ, પી.વી પંડ્યા, ડો. પ્રદિપભાઈ દવે, ચિંતનભાઈ ભટ્ટ, નીરજભાઈ ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!