Saturday, April 27, 2024
HomeGujaratમોરબી : વાલ્મિકી સમાજના યુવાનની હત્યાના બનાવના વિરોધમા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં...

મોરબી : વાલ્મિકી સમાજના યુવાનની હત્યાના બનાવના વિરોધમા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

ભાજપ અનુસુચિત જાતિ મોરચા દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી હત્યારાઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ

- Advertisement -
- Advertisement -

તાજેતરમાં રાજસ્થાન રાજ્યના ઝાલાવાડ ખાતે અનુસૂચિત જાતિ પૈકી વાલ્મિકી સમાજના યુવાન કૃષ્ણા વાલ્મિકી નામના યુવાનની બેરહેમીથી માર મારી હત્યા નિપજાવવાનો ઘૃણાસ્પદ બનાવ બન્યો છે. ઉપરાંત, આ બનાવનો શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો ઉપર પણ લાઠીચાર્જ કરીને ત્યાંની કોંગ્રેસ સરકારે બળપ્રયોગ કર્યાના આક્ષેપ સાથે વાલ્મિકી સમાજના યુવાન કૃષ્ણા વાલ્મિકીની હત્યાના બનાવના વિરોધમા આજે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચો મોરબી જીલ્લા દ્વારા જિલ્લા મથકે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ તકે ભાજપ અનુસુચિત જાતિ મોરચાના અધ્યક્ષ અરજણભાઇ મકવાણા, મહામંત્રી દીનેશભાઇ પરમાર, રવિભાઇ કે. ધુમલ, જીલ્લા ભાજપના મંત્રી રશીકભાઇ વોરા, જીલ્લા પંચાયતના ચેરમેન જેઠાભાઈ પારઘી, સદસ્ય અશોકભાઈ ચાવડા, તાલુકા પંચાયતના ચેરમેન ગોરધનભાઈ સોલંકી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!