Sunday, May 19, 2024
HomeGujaratમોરબી બંધુનગર ગામે શંકાના આધારે વ્યક્તિને માર મારતા મોત:ચાર વિરૂદ્ધ હત્યાનો ગુનો...

મોરબી બંધુનગર ગામે શંકાના આધારે વ્યક્તિને માર મારતા મોત:ચાર વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધાયો

મોરબીના બંધુનગર નજીક સંકસ્પદ વ્યક્તિને માર મારતા તેને ગંભીર જાઓ પહોંચી હોય બાદ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે મળતી વધુ માહિતી મુજબ મોરબી તાલુકા વિસ્તારના બંધુનગર ગામની સીમમાં આવેલ એપલ સીરામીક કારખાના પાસે આ કામના ફરિયાદી નાથુ લક્ષ્મણ ભાભર ના ભાઈ મંગલસિંહ લક્ષ્મણ ભાભર મધ્યપ્રદેશ વાળા રાત્રિના કોઈપણ સમયે એપલ સિરામિક કારખાના બાજુ ગયેલ ત્યારે કારખાનાના સિક્યુરિટી વાળા શૈલેષભાઈ પશુભાઈ પરમાર તથા વિક્રમ સીતારામ જાટમ તથા રાજેશ મુળજીભાઈ પટેલ તથા પ્રવીણ રણછોડભાઈ પટેલ આ બધાને મંગલસિંગ શંકાસ્પદ લાગતા તેને પકડી ઢીકા પાટુ તથા લાકડી કે ધોકા વડે શરીરને મૂઢમાર વાળી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી ત્યારે મંગલસિંગ ને ગંભીર ઈજાઓ પહોંચી હોઈ ત્યારે તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું ત્યારે મરણ જનાર મંગલસિંગ ના ભાઈ નાથુભાઈ એ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે હત્યા નો ગુનો નોંધી ને વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!