Tuesday, April 30, 2024
HomeGujaratમોરબી શહેર-જિલ્લા ભાજપ દ્વારા રેલી યોજી તિરંગા વિતરણ કરવામાં આવ્યુ

મોરબી શહેર-જિલ્લા ભાજપ દ્વારા રેલી યોજી તિરંગા વિતરણ કરવામાં આવ્યુ

આઝાદીના અમૃત મહોત્સવ અભિયાન નિમિત્તે મોરબી શહેર તેમજ જિલ્લા ભાજપ દ્વારા રેલીનું આયોજન કરી તિરંગા વિતરણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયાના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ રેલીમાં દસ હજાર રાષ્ટ્ર ધ્વજ દુકાને દુકાને આપવામાં આવ્યા હતા તેમજ રાહદારીઓ અને ખાનગી વાહનો વાળાઓને રાષ્ટ્ર ધ્વજ આપવામાં આવેલ હતા.

 

આ રેલીમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા તેમજ પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા મોરબી નગર પાલીકાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, કાઉન્સીલરઓ, કારોબારી સભ્યો, મોરબીના શહેરના વિવિધ ક્ષેત્રોના અનુભવ અગ્રણીઓ અને અગ્રણીઓ જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!