Saturday, May 18, 2024
HomeGujaratમોરબી જિલ્લા મચ્છુકાંઠા આહીર સમાજ દ્વારા માતૃ શ્રી રામબાઈના સાનિધ્યમાં નવા હોદેદારો...

મોરબી જિલ્લા મચ્છુકાંઠા આહીર સમાજ દ્વારા માતૃ શ્રી રામબાઈના સાનિધ્યમાં નવા હોદેદારો નિયુક્ત કરાયા

ગઈકાલે માતૃશ્રી રામબાઈના સાનિધ્યમાં મોરબી જીલ્લા મચ્છુકાંઠા આહીર સમાજના હોદેદારોની નિયુક્તિ કરવામાં આવી હતી. જે પ્રસંગે મોટી સંખ્યામાં મચ્છુકાંઠા આહીર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા મચ્છુકાંઠા આહીર સમાજ દ્વારા પ્રમુખ તરીકે જયદીપ કનુભાઈ હુંબલ તેમજ ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ રાયધનભાઈ ખાંભરા અને હકાભાઇ બાબુભાઈ ચાવડાની વરણી કરવામાં આવી છે. તેમજ મહામંત્રી તરીકે વિજયભાઈ પુનાભાઈ ફૂગશીયા અને સહમંત્રી તરીકે ઉગાભાઇ ગોવિંદભાઈ રાઠોડની નિયુક્તિ કરવામાં આવી છે. જયારે કાનાભાઈ રામભાઈ ચાવડા અને મયુરભાઈ ભાનુભાઈ સોનારાને કમિટી સભ્ય તરીકેની જવાબદારી સોપવામાં આવી છે. તેમજ અજયભાઈ મેરામભાઇ ડાંગરને ખજાનચી તરીકે જયારે પોલાભાઈ હમીરભાઈ મિયાત્રા, અશ્વિનભાઈ ખીમજીભાઈ ચાવડા, વિક્રમભાઈ હમીરભાઈ ચાવડા, અજયભાઈ ગોવિંદભાઈ બાલાસરા અને રાજેશભાઈ નારણભાઈ મંઢની કમિટી સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે. તેમ મોરબી જીલ્લા મચ્છુકાંઠા આહીર સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!