Saturday, April 20, 2024
HomeGujaratમોરબી : 'તું અન્ય સાથે મિત્રતા રાખમાં અને અન્ય મિત્રોની ગુલામી કરવાનું...

મોરબી : ‘તું અન્ય સાથે મિત્રતા રાખમાં અને અન્ય મિત્રોની ગુલામી કરવાનું રહેવા દે’, તેમ કહી યુવાન પર છરી વડે હુમલો

મારામારીનાં આ બનાવની મોરબી બી ડીવીઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીનાં ત્રાજપર ગામે ચોરાવાળી શેરીમાં રહેતા રોહિતભાઈ અવચરભાઈ બારૈયા (ઉ.વ.૧૯) એ ફરિયાદ નોંધાવી છે કે આરોપી શુનીલભાઈ મનીષભાઈ પરમાર (રહે-ત્રાજપર) તથા વિશાલ શેખાણી (રહે-માધાપર જાપા નજીક) વાળાએ સાથે મળી ફરિયાદી રોહિતભાઈ તેના ઘરની બહાર મેલડીમાં ના મંદિરની ડેરી પાસે સુતા હોય તે વખતે આવી ફરિયાદી રોહિતભાઈને ઉઠાડી આરોપી શુનીલભાઈએ કહેલ કે તું બીજા સાથે મિત્રતા રાખમાં અને બીજા મિત્રોની ગુલામી કરવાનું રહેવા દે તેમ કહી ઉશ્કેરાઈ જઈ ઢીકા પાટુંનો માર મારી આરોપી શુનીલએ પોતાના હાથમાંની છરી વતી ફરિયાદી રોહિતભાઈને સાથળમાં ઈજા કરી તેમજ ફરીયાદી રોહિતભાઈને બચાવવા વચ્ચે પડેલ તેના માતા મધુબેનને આરોપી વિશાલ શેખાણીએ લાકડી વતી ડાબા હાથમાં મુંઢ ઈજા કરી સ્થળ પરથી જતા જતા ગાળો આપી અને આરોપી શુનીલએ હવે પછી હું કહું તેમ નહી કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.મોરબી બી ડીવીઝન પોલીસે બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!