Friday, March 29, 2024
HomeGujaratમોરબી : કોરોનાગ્રસ્ત તથા બિનવારસી મૃતદેહોના અસ્થિઓનું સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક...

મોરબી : કોરોનાગ્રસ્ત તથા બિનવારસી મૃતદેહોના અસ્થિઓનું સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન કરવામા આવશે

અસ્થિ વિસર્જીત ન કરી શકેલ હોય તેવા પરિવારજનોએ પોતાના દીવંગતોના અસ્થિ શહેરના વિવિધ સ્મશાને સંસ્થાના અસ્થિ કુંભમાં પધરાવવા અનુરોધ

- Advertisement -
- Advertisement -
- Advertisement -

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદીર દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવામા આવે છે તે ઉપરાંત તેમના અસ્થિઓનુ સોમનાથ ખાતે ત્રિવેણી સંગમમા સામૂહીક વિસર્જન કરવામાં આવે છે. તેમજ જે લોકો પોતાના સ્વજનોના અસ્થિઓનુ વિસર્જન ન કરી શકેલ હોય તેમના અસ્થિઓનુ વિસર્જન પણ સંસ્થા દ્વારા કરવામા આવે છે.

હીન્દુ ધર્મ ની પરંપરા મુજબ દીવંગતોના આત્માની શાંતિ અર્થે ગ્રહણ પહેલા અસ્થિઓનુ વિસર્જન કરવુ અનિવાર્ય હોય છે ત્યારે આગામી તા.૨૬-૫ ના રોજ ચંદ્રગ્રહણ હોય મોરબી જલારામ મંદીર દ્વારા તા.૨૩-૫-૨૦૨૧ ના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમ મા કોરોનાગ્રસ્ત તથા બિનવારસી મૃતદેહો ના અસ્થિઓનુ સામૂહીક અસ્થિ વિસર્જન કરવામા આવશે. તા.૨૨-૫-૨૦૨૧ ના રોજ મોરબીના તમામ સ્મશાનેથી અસ્થિઓ એકત્રિત કરી વિદ્યુત સ્મશાન ખાતે લઈ જવામા આવશે જ્યાં શાસ્ત્રોક્ત વિધી સંપન્ન થયા બાદ સંસ્થાના અગ્રણીઓ સોમનાથ જવા રવાના થશે. જે કોઈ વ્યક્તિઓ પોતાના સ્વજનોનાં અસ્થિઓ વિસર્જીત કરી શકેલ ન હોય તેમણે આગામી તા.૨૨-૫-૨૦૨૧ સુધીમા શહેરના વિવિધ સ્મશાન ખાતે જલારામ મંદીર ના અસ્થિ કુંભમા પધારાવવા અપિલ કરવામાં આવી છે.

આ ભગીરથ કાર્યમા સંસ્થાના અગ્રણી ગીરીશ ભાઈ ઘેલાણી, હીતેશ જાની, હરીશભાઈ રાજા, ચંદ્રવદનભાઈ પુજારા, પ્રતાપભાઈ ચગ, ભાવીન ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, અમિત પોપટ(પોપટ પાન), નંદલાલ રાઠોડ, દીનેશ સોલંકી, જલારામ સેવા મંડળ મોરબીનાં પ્રમુખ નિર્મિત કક્કડ સહીતના જોડાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!