Monday, April 29, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં ટાઉતે વાવાઝોડાને પગલે સગર્ભા બહેનોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા, બે...

મોરબી જિલ્લામાં ટાઉતે વાવાઝોડાને પગલે સગર્ભા બહેનોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા, બે બહેનોની સલામત ડિલેવરી

ગુજરાત ઉપર ટાઉતે વાવાઝોડુ ટકરાવાનું હોવાથી વાવાઝોડા થી મોરબી જીલ્લાના લોકોનાં આરોગ્ય ઉપર કોઈ માઠી અસર ન પહોચે તેમના અનુસંધાને આગોતરા આયોજનનાં ભાગ રૂપે મોરબી જીલ્લાનાં આરોગ્ય વિભાગ દ્વારા પણ આરોગ્યને લગતી કેટલીક આગોતરી તૈયારી કરવામાં આવી છે. જેમાં વાવાઝોડાનાં સમયગાળા દરમિયાન જે સગર્ભા બહેનોની ડીલેવરીની તારીખ હોય તેવા સગર્ભા બહેનોને વાવાઝોડાનાં કારણે ડીલેવરી બાબતે કોઈ મુશ્કેલી ઉભી ન થાય તેવા હેતુથી જીલ્લાનાં કુલ ૫૯ બહેનોને પ્રા.આ. કેન્દ્રો,સામુહિક આરોગ્ય કેન્દ્રો, સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ, તેમજ પ્રાઈવેટ હોસ્પીટલ જેવી સંસ્થાઓમાં સલામત સ્થળો ઉપર અગાઉથી જ દાખલ કરી દીધેલ છે. જેમાં હળવદ તાલુકામાં ૧૬, વાંકાનેર તાલુકામાં ૧૬, ટંકારા તાલુકામાં ૯, તથા માળિયા તાલુકામાં ૧૦, અને મોરબી તાલુકામાં ૮ બહેનો સહિત જીલ્લામાં ફુલ-૫૯ બહેનોને સલામત સ્થળો ઉપર દાખલ કરવામાં આવેલ છે. તેમાંથી આજે તારીખ ૧૮/૦૫/૨૦૨૧નાં બપોર સુધીમાં વાંકાનેર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી ખાતે એક બહેનને સલામત ડીલેવરી કરાવેલ છે. તેમજ ટંકારા તાલુકાનાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા ખાતે એક બહેનને સલામત ડીલેવરી કરાવેલ છે. હાલ બંને બહેનો અને બાળકોની તબીયત સારી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!