Sunday, May 19, 2024
HomeGujaratમોરબી:વીરપરડા ગામે મેલડી માતાજી મંદિર જીર્ણોદ્ધાર તથા સુરાપુરા દાદા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

મોરબી:વીરપરડા ગામે મેલડી માતાજી મંદિર જીર્ણોદ્ધાર તથા સુરાપુરા દાદા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

મોરબી:વીરપરડા ગામે સ્વ.દાદીમા મોંઘીબા નારસંગજી જાડેજા પરિવાર દ્વારા વીરપરડા મુકામે શ્રી ખેવારીયાવાળા મેલડી માતાજી અને બોડાવાળી મેલડી માતાજી મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ ભુવાશ્રી ટપુભા હરિસિંહ જાડેજાના શ્રી સુરાપુરાદાદા ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન વીરપરડા ગામ ખાતે કરવામાં આવી હતી જે તાજેતરમાં સંપન્ન થયો.

- Advertisement -
- Advertisement -

ઉપરોક્ત રૂડા અવસરે જાડેજા પરિવાર દ્વારા વિવિધ ધાર્મિક પ્રસંગોની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિક્રમ સવંત ૨૦૮૦ ચૈત્ર વદ-૧૩ તા.૦૫/૦૫ને રવિવારે સાંજે ૬ વાગ્યે સુરાપુરા દાદાના સામૈયા કરાયા હતા, ત્યારબાદ તા.૦૬/૦૫ ના સવારથી મેલડી માતાજીનો નવચંડી યજ્ઞ, સુરાપુરા દાદાનો યજ્ઞ તેમજ સાંજે બીડું હોમવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજે ૬ કલાકે માતાજીના ગરબા અને સાંજે ૭ વાગ્યે મહાપ્રસાદ લઇ મહોત્સવની પુર્ણાહુતી કરી હતી. ત્યારે આ પ્રસંગે બહોળી સંખ્યામાં સમસ્ત વીરપરડા ગામ તથા જાડેજા પરિવારજનો જોડાઈ પ્રસંગની ભવ્યથી અતિ ભવ્ય ઉજવણી કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!