Thursday, May 2, 2024
HomeGujaratમોરબીવાસીઓ આનંદો: મંત્રી મેરજાની વારંવાર રજૂઆતોના પરિણામ સ્વરૂપે સીવીલ હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ સહિત...

મોરબીવાસીઓ આનંદો: મંત્રી મેરજાની વારંવાર રજૂઆતોના પરિણામ સ્વરૂપે સીવીલ હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ સહિત ત્રણ તબીબોની નિમણુંક કરાઈ

મોરબી ખાતેની સીવીલ હોસ્પિટલમાં જુદા જુદા પ્રકારના તજજ્ઞ-ડોકટરોની વર્ગ-૧ની ખાલી જગ્યાઓ ભરાય તે માટે મોરબી માળીયા(મી)ના ધારાસભ્ય અને શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર અને પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા સતત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં ચીફ પર્સોનલ ઓફિસર, કમિશ્નર-આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ તથા અધિક મુખ્ય સચિવ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ આરોગ્ય મંત્રી સમક્ષ સતત રજુઆતો કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

જેના પરિણામ સ્વરૂપે મોરબી સરકારી હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ વર્ગ-૧ તરીકે ડો.મિરલ આદ્રોજા, જનરલ સર્જન તરીકે ડો.યશ પટેલ તથા રેડીયોલોજીસ્ટ વર્ગ-૧ તરીકે ડો.હર્ષિલ અઘેરાની નિમંણૂકોના હુકમો કરી દેવામાં આવ્યા છે.વધુમાં હાલ ઓર્થોપેડિક સર્જન તરીકે સી.એમ.સેતુ યોજના હેઠળ જગ્યા ભરવામાં આવેલ છે. હવે મોરબી સીવીલ હોસ્પિટલની વર્ગ-૧ના તજજ્ઞ ડોકટરો તથા વર્ગ-૨ના મેડીકલ ઓફિસરોની ૯૦ ટકા જેટલી જગ્યાઓ ભરાય ગયેલ છે.

આ તકે રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાએ ઉપરોકત જગ્યાઓ આરોગ્ય વિભાગ દ્વારા ભરવામાં આવતાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશભાઇ પટેલનો  આભાર વ્યકત કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!