Saturday, April 27, 2024
HomeGujaratમોરબી : જુના વનાળીયા ગામે ચારિત્ર્ય વિશે એલફેલ બોલી પરિણીતાને માર માર્યો,...

મોરબી : જુના વનાળીયા ગામે ચારિત્ર્ય વિશે એલફેલ બોલી પરિણીતાને માર માર્યો, ફરીયાદ નોંધાઈ

મોરબી તાલુકાના જુના વનાળીયા ગામે ચારિત્ર્ય વિશે એલફેલ બોલીને ટંકારાની મહિલાએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી અપ્યાનો બનાવ પોલીસ મથકે પહોંચ્યો હતો.આ બનાવ અંગે પરિણીતાએ ટંકારાની મહિલા સામે માર મારી ધમકી આપ્યાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અમીતાબેન ગૌતમભાઈ આંબલિયા (રહે, શાંતીનગર સોસાયટી ની બાજુમા નવી પીપળી તા.મોરબી) એ આરોપી ગીતાબેન મનશુખભાઈ વાઘેલા (રહે, ટંકારા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૯ ના રોજ મોરબી તાલુકાના જુના વનાળીયા ગામે ફરીયાદી બહેનને આરોપી બહેને ફરીયાદી બહેનના ચારીત્ર વિશે એલફેલ બોલી તેમજ ગાળો આપી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!