Thursday, April 25, 2024
HomeGujaratશ્રમિક પરિવારના ગુમ થયેલા ચાર બાળકોનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતી મોરબી...

શ્રમિક પરિવારના ગુમ થયેલા ચાર બાળકોનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતી મોરબી તાલુકા પોલીસ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઉંચી માંડલ નજીકના શ્યામ સિરામિકમાં રહીને મજુરી કરતા મૂળ એમપીના વતની પપ્પુ હટીલાના ચાર સંતાનો જેમાં એક ૧૦ વર્ષની દીકરી, એક ૧૦ માસની દીકરી તેમજ ૬ વર્ષ અને ૩ વર્ષનો દીકરો ગઈકાલે સાંજે ચારેક વાગ્યે નાસ્તો લેવા બહાર ગયા બાદ રસ્તો ભૂલી જતા ગુમ થયા હતા ચાર સંતાનો ગુમ થતા પરિવાર ચિંતામાં મુકાયો હતો જે બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરાતા મોરબી જીલ્લા એસપી એસ. આર. ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ તાલુકા પીઆઈ એમ. આર. ગોધાણીયાની ટીમે તપાસ ચલાવી હતી વિવિધ ટીમો બનાવી બાળકોની શોધખોળ હાથ ધરી હતી અને ચારેય બાળકો નીચી માંડલ નજીક એક વાડીમાંથી મળી આવ્યા હતા જે બાળકોનું પરિવાર સાથે પોલીસે સુખદ મિલન કરાવ્યું હતું ત્યારે પિતાએ તાલુકા પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!