Saturday, May 18, 2024
HomeGujaratમોરબી : આવતીકાલે રવિવારનાં રોજ પણ જિલ્લામાં કોરોના રસીકરણ કામગીરી ચાલુ રહેશે

મોરબી : આવતીકાલે રવિવારનાં રોજ પણ જિલ્લામાં કોરોના રસીકરણ કામગીરી ચાલુ રહેશે

આવતી કાલે તારીખ ૨૩/૦૫/૨૦૨૧ ને રવિવારનાં રોજ રાજય સરકારની સૂચના મુજબ ૪૫ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા લોકો માટે કોરોના વેકશીનનાં પ્રથમ અને બીજા ડોઝ આપવા માટેની કામગીરી મોરબી જિલ્લામાં નીચે બતાવ્યા મુજબનાં સેન્ટરોમાં ચાલુ રહેશે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકામાં – સિવિલ હોસ્પીટલ મોરબી, સંસ્કાર ઈમેજિંગ સેન્ટર, લીલાપર અર્બન હેલ્થ સેન્ટર(પરસોતમ ચોક), સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘુંટુ , સબ સેન્ટર રવાપર

વાંકાનેર તાલુકામાં – સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ વાંકાનેર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી

હળવદ તાલુકામાં – સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ હળવદ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના દેવળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીકર

ટંકારા તાલુકામાં – સામુહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ માળીયા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ

આમ જીલ્લામાં કુલ ૧૫ સ્થળોએ કોરોના રસીકરણ કામગીરી ચાલુ રહેશે. દરેક સ્થળોએ ૧૦૦-૧૦૦ લાભાર્થીઓને વેકસીન આપવામાં આવશે. તથા કોવિશિલ્ડ વેકશીનનાં બીજા ડોઝ નાં લાભાર્થીઓએ બે ડોઝ વચ્ચે ૧૨ થી ૧૬ અઠવાડીયાનાં સમયગાળાની નવી ગાઇડલાઇન્સને અનુસરવા માટે મોરબી જીલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધીકારી ડો. જે.એમ.કતીરા તેમજ જીલ્લા આર.સી.એચ. અધીકારી ડો. વિપુલ કારોલીયા દ્વારા મોરબી જીલ્લાનાં તમામ લોકોને નમ્ર અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!