Saturday, April 20, 2024
HomeGujaratમોરબી : જીકીયારી ગામે તલમાં જતુંનાશક દવા છટકાવ કરતી વખતે ઝેરી અસરથી...

મોરબી : જીકીયારી ગામે તલમાં જતુંનાશક દવા છટકાવ કરતી વખતે ઝેરી અસરથી સગીરનું સારવાર દરમ્યાન મોત

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના જીકીયારી ગામે આવેલ ભીખાભાઇ ભગવાનજીભાઇ બાવરવાની વાડીએ રહેતા મૂળ છોટાઉદેપુરના વતની રાકેશભાઇ થાવરીયાભાઇ નાયકા (ઉ.વ.૧૬) નામનો સગીર ગત તા.૧૦ ના રોજ જીકીયારી ગામની વાડીમાં તલમાં જતુંનાશક દવા છાંટતો હોય જે દવા છાંટી બપોરના તલમાં પાણી વાળવા તેને ઝેરી દવાની અસર થતા મોરબીની સિવિલ હોસ્પિટલમાં પ્રથમિક સારવાર લઇ વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પીટલમાં ઇમરજન્સી વોર્ડમાં સારવારમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ચાલુ સારવાર દરમ્યાન ગત તા.૧૧ ના રોજ સગીરનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!