Tuesday, May 21, 2024
HomeGujaratમોરબીના આમરણ(બગથરા)નો યુવક ઝેરી દવા પી જતા સારવારમાં મોત

મોરબીના આમરણ(બગથરા)નો યુવક ઝેરી દવા પી જતા સારવારમાં મોત

મોરબી તાલુકાના આમરણ(બગથરા)નો વતની હાલ મોરબીના લીલાપર રોડ ઉપર ભરવાડના મકાનમાં ભાડેથી રહેતા આકાશભાઈ મનોજભાઈ આમેલીયા ઉવ.૨૫એ ગત તા.૧૫/૦૨ ના રોજ બપોરના અરસામાં મોરબીના બેલા(રંગપર) રોડ ઉપર મામાદેવ મંદિર પાસે કોઈ કારણસર મોનોકોટો(ઝેરીદવા) પી જતા બેભાન થઇ ઢળી પડ્યો હતો, જેથી યુવકને પ્રથમ સારવારમાં મોરબીની JR હોસ્પી.માં દાખલ કરેલ બાદ વધુ સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પી.માં બેભાન હાલતમાં દાખલ કરેલ હતો જ્યાં યુવકનું ચાલુ સારવાર દરમ્યાન તા-૧૮/૦૨/૨૦૨૪ના રોજ મોત નીપજ્યું હતું. બનાવ બાબતે યુવકના પિતા મનોજભાઈ દેવકરણભાઈ આમેલીયા ઉવ.૫૦ રહે-પીપળી ગામ શિવપાર્ક સોસાયટીમાં ભાડે મુળગામ-આમરણ(બગથરા) તા-જી મોરબીએ તાલુકા પોલીસમાં જાહેર કરતા હાલ તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ શરુ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!