Thursday, March 28, 2024
HomeGujaratમોરબીના મચ્છુ-3 ડેમ ખાલી કરવાની શરૂઆત કરવામાં આવી:હેઠવાસમાં આવતા ગામો ને એલર્ટ...

મોરબીના મચ્છુ-3 ડેમ ખાલી કરવાની શરૂઆત કરવામાં આવી:હેઠવાસમાં આવતા ગામો ને એલર્ટ અપાયું

મોરબી – કંડલા બાયપાસ પરના આરટીઓ નજીક આવેલ જર્જરિત પુલને નવનિર્માણ કાર્યને પગલે 85 ટકા ભરેલ મચ્છુ-3 ડેમ ખાલી રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે જેને લઈને આજથી ડેમનો જળ સંગ્રહ ખાલી કરવાના કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીને લઈને મચ્છુ-3 ડેમના નીંચાણવાળા મોરબી તાલુકાના 16 અને માળીયા તાલુકાના આઠ મળી કુલ 24 ગામના લોકોને નદીના પટ્ટમાં અવર-જવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબી બાયપાસ પર આવેલ આરટીઓ કચેરી નજીકનો પુલ જર્જરિત થયો હોવાથી આ પુલને નવો બનાવવા અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ બે વર્ષથી મચ્છુ-3 ડેમમાં પુષ્કળ પાણી હોવાથી નિર્માણકાર્ય અટવાયેલ પડ્યું હતું. આ સંજોગોમાં નર્મદા જળસંપત્તિ અને કલ્પસર વિભાગ ગાંધીનગર દ્વારા મચ્છુ-3 ડેમ માં રહેલો 278.44 એમસીએફટી જેટલો જથ્થો ખાલી કરી પુલનું કામ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે જેને લઈને સિંચાઈ વિભાગ દ્વારા આજ રોજ સવાર 9 વાગ્યાથી ડેમ ખાલી કરવાની શરૂઆત કરવામાં આવી છે અને હજુ એક દરવાજો ખોલી ને પાણી છોડવામાં આવી રહ્યું છે. કાર્યપાલક ઈજનેરના  જણાવ્યા અનુસાર અગાઉ પાંચ દરવાજા ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ હેઠવાસ માં રેલવે બ્રિજ નું કામ ચાલુ હોવાથી તથા અગરિયાઓ ના પાળા તૂટી જવાની સભાવના ને લઈને એક દરવાજા દ્વારા જ ડેમ ખાલી કરવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે .

વધુમાં ડેમ માં રહેલ પાણી ખાલી કરવામાં આવતું હોવાથી મચ્છુ-3 હેઠળ આવતા મોરબી તાલુકાના હેઠવાસના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકો, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, સોખડા, લક્ષ્મીનગર, અમરેલી, ધરમપુર તેમજ માળિયા(મી) તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસગપર, વિવદરકા, માળિયા(મી), હરીપર અને ફતેપર ગામના લોકોને નદીના પટ્ટમાં ન જવા સૂચના કરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!