Friday, May 3, 2024
HomeGujaratમોરબીની સંસ્થા દ્વારા કોરોનાગ્રસ્ત મૃતદેહો તથા બિનવારસી મૃતદેહો સહીત ૧૨૩ દિવંગતોના અસ્થિઓનું...

મોરબીની સંસ્થા દ્વારા કોરોનાગ્રસ્ત મૃતદેહો તથા બિનવારસી મૃતદેહો સહીત ૧૨૩ દિવંગતોના અસ્થિઓનું સોમનાથ ખાતે વિસર્જન કરાશે

સંસ્થાનાં કાર્યકરો અસ્થિઓ લઈ સોમનાથ જવા રવાના

- Advertisement -
- Advertisement -

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદીર દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવામા આવે છે તે ઉપરાંત તેમના અસ્થિઓનુ સોમનાથ મુકામે ત્રિવેણી સંગમમા સામૂહીક વિસર્જન કરવામા આવે છે. તેમજ જે લોકો પોતાના સ્વજનોના અસ્થિઓનુ વિસર્જન ન કરી શકેલ હોય તેમના અસ્થિઓનુ વિસર્જન પણ સંસ્થા દ્વારા કરવામા આવે છે.

હીન્દુ ધર્મની પરંપરા મુજબ દીવંગતોના આત્માની શાંતિ અર્થે ગ્રહણ પહેલા અસ્થિઓનુ વિસર્જન કરવુ અનિવાર્ય હોય છે ત્યારે આગામી તા.૨૬-૫ના રોજ ચંદ્રગ્રહણ હોય મોરબી જલારામ મંદીર દ્વારા તા.૨૩-૫-૨૦૨૧ ના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમમા કોરોનાગ્રસ્ત તથા બિનવારસી મૃતદેહોના અસ્થિઓનુ સામૂહીક અસ્થિ વિસર્જન કરવામા આવશે. તા.૨૨-૫-૨૦૨૧ ના રોજ મોરબીના તમામ સ્મશાનેથી કોરોનાગ્રસ્ત મૃતદેહો તથા બિનવારસી મૃતદેહો સહીત કુલ ૧૨૩ દીવંગતોના અસ્થિઓ એકત્રિત કરી વિદ્યુત સ્મશાન ખાતે લઈ જવામા આવ્યા જ્યાં શાસ્ત્રોક્ત વિધી સંપન્ન થયા બાદ સંસ્થા ના અગ્રણીઓ સોમનાથ જવા રવાના થયા હતાં

આ ભગીરથ કાર્યમા સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હિતેશભાઈ જાની, હરીશભાઈ રાજા, સી.પી. પોપટ, પ્રતાપભાઈ ચગ, ભાવીનભાઈ ઘેલાણી, જીતુભાઈ પુજારા, કીશોરભાઈ ઘેલાણી, હર્ષિતભાઈ કંસારા, નિર્મિતભાઈ કક્કડ, જયેશભાઈ કંસારા, હરકાંતભાઈ વ્યાસ, અનિલભાઈ સોમૈયા, અમિતભાઈ પોપટ(પોપટ પાન), જયદીપભાઈ પોપટ, કૌશલભાઈ જાની, નવીનભાઈ જૈન, નંદલાલભાઈ રાઠોડ, ચિરાગભાઈ વોરા, દિનેશભાઈ સોલંકી સહીતના જોડાયા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!