Monday, May 20, 2024
HomeGujaratમોરબીની પરિણીતાએ પતિ સહીત સાસરીયા વિરુદ્ધ શારીરિક તથા માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

મોરબીની પરિણીતાએ પતિ સહીત સાસરીયા વિરુદ્ધ શારીરિક તથા માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

મોરબીમાં રહેતી પરિણીતાને પતિ તથા તેના સાસુ-સસરા માનસિક તથા શારીરિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ મોરબી મહિલા પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી પતિ સહિતના ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબીના બોરીચાવાસ, સમસુદીનના બંગલાની બાજુમાં સાસરું ધરાવતી રજીયાબેન પરવેઝભાઇ અબ્દુલભાઇ મોગલને તેના લગ્નજીવનના ૯ વર્ષ દરમિયાન તેના પતિ પરવેઝભાઈ અબ્દુલભાઇ મોગલ(પતિ), અબ્દુલભાઇ હુશેનભાઇ મોગલ (સસરા), સાહીદાબેન અબ્દુલભાઇ મોગલ(સાસુ) સહિતના દ્વારા કરિયાવર બાબતે મેણાંટોણાં મારી મારકૂટ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોય જેથી મોરબી ઘાંચી શેરીમાં પિયર ધરાવતા રજીયાબેન ગત તા. ૦૮ નવેમ્બર ૨૦૨૩ના પોતાના પિતાને ત્યાં જતા રહ્યા હતા. હાલ સમાધાનની વાત ચાલતી હોય ત્યારે કોઈ હકારાત્મક નિર્ણય ન આવતા પીડિતા રજીયાબેન દ્વારા પતિ, સાસુ તથા સસરા સહિતના વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!