Friday, April 19, 2024
HomeGujaratમોરબીના પરિણીતાએ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ મોત વ્હાલુ કર્યું

મોરબીના પરિણીતાએ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ મોત વ્હાલુ કર્યું

મોરબીના વાવડી રોડ પર રહેતી પરિણીતાએ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ મોત વ્હાલુ કરી લેતા પરિવારમાં આક્રંદ છવાયો છે જે ને લઈને પોલીસે નોંધ કરી આપઘાતનું કારણ જાણવા તપાસ તેજ બનાવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી પાલિકાના મહિલા ભાનુબેન નગવાડિયા સદસ્યની દીકરી અને શહેરના વાવડી રોડ પર રહેતા રિદ્ધિબેન પ્રણવભાઈ વ્યાસ નામના ૨૭ વર્ષીય પરિણીતા કોઈ પણ કારણસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો જે બનાવની જાણ થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યા ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરતા પરિવારમાં કાળો કલ્પાંત છવાયો છે. આ બનાવની જાણ થતાં મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટાફ તાત્કાલિક દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં તપાસ તેજ બનાવી છે.

ઉલ્લેખનીય છે કે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક રિદ્ધિબેન પાલિકાના મહિલા સદસ્યના દીકરી હોવાનું જાણવા મળ્યું છે બનાવને પગલે આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!