Monday, April 29, 2024
HomeGujaratવાંકાનેરનાં વિનયગઢ ગામે જમીનના સેઢા બાબતે ચાલતી માથાકૂટમાં આધેડને માર મરાયો

વાંકાનેરનાં વિનયગઢ ગામે જમીનના સેઢા બાબતે ચાલતી માથાકૂટમાં આધેડને માર મરાયો

વાંકાનેરમાં જૂની અદાવતમાં વધુ એક શખ્સને માર મરાયાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં વાંકાનેરનાં વિનયગઢ ગામે જમીનના સેઢા બાબતે ચાલતી માથાકૂટમાં ૬ શખ્સોએ આધેડને પકડી તેને ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરના વિનયગઢ ગામે રહેતા ભરતભાઇ રવજીભાઇ ચૌહાણ નામના ખેડૂત તથા ચમનભાઇને વિનયગઢ ગામની સીમમા ખેતીની જમીન આવેલ હોય જે જમીનના સેઢા બાબતે એક બીજાને મન દુઃખ ચાલતુ હોય જેનો ખાર રાખી મેરામભાઇ અને દિનેશભાઇ નામના શખ્સોએ ફરિયાદીને પકડી રાખી ગરામભાઇ તથા રમેશભાઇ નામના બે ઈસમોએ લાકડી વડે ફાજરીયાદીને ઢોર માર માર્યો હતો. તેમજ સવજીભાઇ તથા ચમનભાઇએ ગાળો બોલી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!