Friday, March 29, 2024
HomeGujaratમોરબી બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ

મોરબી બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ

ગઈકાલે પરશુરામ જયંતિ નિમિતે મોરબી સહીત ઠેર ઠેર ભગવાન પરશુરામજીની જન્મ જયંતીની ધામેધુમે ઉજવણી કરાઈ હતી.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

જેમાં મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી અને પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભગવાન પરશુરામજીની વાઘપરા ગાયત્રી મંદિરેથી પરશુરામ ધામ નવલખી ફાટક સુધીની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી અને આ દરમિયાન ઠેર ઠેર મોરબી જિલ્લા ભાજપના હોદેદારો , રાજપૂત કરની સેનાના હોદેદારો સહિત અલગ અલગ સંગઠનો અને અલગ અલગ સમાજના આગેવાનો દ્વારા ભગવાન પરશુરામજીના આશીર્વાદ લીધા હતા.આ શોભાયાત્રામાં મોરબી જિલ્લાના હજારો બ્રાહ્મણો જોડાયા હતા તથા આ તકે પરશુરામ ધામ મોરબી ખાતે મહા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને પરશુરામ યુવા ગ્રુપ ના પ્રમુખ નિરજભાઈ ભટ્ટ ની સમસ્ત બ્રહ્મસમાજ ના મહામંત્રી તરીકે વર્ણી કરવામા આવી હતી.

પરશુરામ ધામ ખાતે યોજાયેલા આ સમારોહમાં રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા ,અનિલભાઈ મહેતા,ડો.ભાડેસિયા,પત્રકાર એઓસીએશન મોરબીના પ્રમુખ અતુલભાઈ જોષી,ઋષિભાઈ મહેતા,ભાસ્કરભાઈ જોષી અને નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા,ભુપતભાઇ પંડ્યા,કિશોરભાઈ શુક્લ સહિતના બ્રહ્મસમાજના આગેવાનોનું સન્માન કરવામા આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!