Saturday, May 18, 2024
HomeGujaratવાંકાનેરમાં બે દિવસ પેહલા ગળાફાંસો ખાઈ લેનાર પરિણીતાનું મોત:સાસુ સસરા વિરુદ્ધ ગુનો...

વાંકાનેરમાં બે દિવસ પેહલા ગળાફાંસો ખાઈ લેનાર પરિણીતાનું મોત:સાસુ સસરા વિરુદ્ધ ગુનો નોંધાયો

વાંકાનેરમાં બે દિવસ પહેલા વિશિપરામાં ડબલ ચાલી વિસ્તારમાં એક પરિણીતા રોશનબેન (ઉ.વ.૨૨) વાળાએ કોઈ કારણોસર ચૂંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો બાદમાં તેને સારવાર અર્થે ખસેડાઇ હતી જે બાબતે વાંકાનેર સીટી પોલીસે તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન ગઈકાલે આ પરિણીતા નું મોત નીપજ્યું હતું જેથી મૃતકના પિતા હારુનભાઈ માલાણી દ્વારા મૃતકના સાસુ સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ હમીદભાઈ હબીબભાઈ મોવર અને હસીનાબેન હબીબભાઈ મોવર વાળાઓ મૃતક રોશનબેન ને ઘરકામ બાબતે અવારનવાર ઝઘડો કરી ઢીકા પાટુ નો માર મારતા હતા અને મેણા ટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા તથા આરોપી હસીનાબેન મૃતકના પતિને ચડામની કરી માર ખવડાવતા હતા જેથી રોશનબેન એ કંટાળી જઈને મોત વ્હાલું કર્યું હતું.

- Advertisement -
- Advertisement -

જેથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!