Friday, April 26, 2024
HomeGujaratમોરબી-હળવદ હાઇવે ઉપર હરી ઓમ પાર્કમાં રહેતી પરિણીતાએ માનસિક બીમારીથી કંટાળી ગળેફાંસો...

મોરબી-હળવદ હાઇવે ઉપર હરી ઓમ પાર્કમાં રહેતી પરિણીતાએ માનસિક બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-હળવદ હાઇવે ઉપર હરી ઓમ પાર્ક મેઇન ગેઇટ વાળી શેરી મકાન નં.૬૭ (સી) બીજા માળે રહેતા વીણાબેન ઉર્ફે વિજ્યાબેન દીનેશભાઇ સુવારીયા (ઉ.વ.૪૩) નામના પરિણીતાએ ગત તા. ૨૫ ના રોજ પોતાના ઘરે પોતાની જાતેથી રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લેતા ગળાના ભાગે ઇજા થતા બેભાન અવસ્થામાં તેમને પ્રથમ સારવાર અર્થે મોરબી સર્મપણ હોસ્પીટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સીનર્જી હોસ્પીટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન ગત તા.૩૦ ના રોજ તેમનું મોત નીપજ્યું હતું. મૃતકને છેલ્લા સાડા ત્રણેક વર્ષથી માનસિક બીમારી હોઇ જેથી તે બીમારીથી કંટાળી ગયેલ હોઇ અને પોતાને લાગી આવતા આ અંતિમ પગલું ભરી લીધાનું તપાસમાં ખુલ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!