Monday, May 20, 2024
HomeGujaratમોરબીમાં હોમ આઈસોલેશનમાં રહેલ જરૂરીયાતમંદ કોરોના દર્દીઓને પટેલ ઓક્સિજન વિનામૂલ્યે ઓક્સિજન સિલિન્ડર...

મોરબીમાં હોમ આઈસોલેશનમાં રહેલ જરૂરીયાતમંદ કોરોના દર્દીઓને પટેલ ઓક્સિજન વિનામૂલ્યે ઓક્સિજન સિલિન્ડર પુરા પાડશે

મોરબીમાં કોરોનાની બીજી લહેર કહેર વરસાવી રહી છે. ઓક્સિજન સિલિન્ડર મેળવવામાં લોકોને મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રસિંહ હોસ્પિટલ સામે વોરાબાગ અંદર આવેલ પટેલ ઓક્સિજન દ્વારા છેલ્લા ચારેક દિવસથી દર્દીઓને વિનામૂલ્યે ઓક્સિજન સિલિન્ડર પુરા પાડવા સેવાયજ્ઞ શરૂ કર્યો છે શરૂઆતમાં પાટીદાર કોવિડ કેર સેન્ટરને ઓક્સિજન પૂરો પાડ્યા બાદ આજથી કોઈપણ જાતના ધર્મ જાતિના ભેદભાવ વગર મોરબીના તમામ જરૂરીયાતમંદ લોકો માટે ઓક્સિજન પૂરો પાડવાનું જાહેર કરવામાં આવ્યું છે. જેથી મોરબીમાં જે લોકો હોમ આઇસોલેશન ઉપર સારવાર લેતા હોય તેવા જરૂરિયાતમંદ ગરીબ દર્દીઓ માટે વિના મૂલ્યે મેડિકલ ઓક્સિજન સિલિન્ડર સેવા ચોવીસ કલાક ચાલુ કરવામાં આવી છે. ઓક્સિજન સિલિન્ડર મેળવવા માટે ટી. ડી. પટેલ 9825223011 (લુણસર વાળા, ફેનિક્સ સિરામિક), પરેશ સદાતિયા 9825620149 (પટેલ ઓકિસજન, ખાખરાળાવાળા), મુકેશભાઈ કાલરીયા 9825620159 (ચકમપર વાળા, તિરૂપતિ કેમિકલ), પ્રવીણ અઘરા મો. 9825448598 (કે.બી, કોર્પોરેશન, સુરવદર વાળા), સંદીપભાઈ રાવલ 9429565699 (ભૂદેવ, તિરૂપતિ કેમિકલ) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!