Tuesday, June 16, 2026
HomeGujaratમોરબી ત્રાજપર ખારી વિસ્તારમાં લોક કલ્યાણકારી કેમ્પનું આયોજન કરાયું

મોરબી ત્રાજપર ખારી વિસ્તારમાં લોક કલ્યાણકારી કેમ્પનું આયોજન કરાયું

તા.૧૫/૬ નારોજ સામાકાઠે આવેલ ત્રાજપર ખારી વિસ્તારમાં વોર્ડ નં.૪ ના કોર્પોરેટર પૂનમબેન જીતેનભાઈ અગેચાણીયા દ્વારા કેમ્પનુ આયોજન કરવામાં આવેલું હતું.

- Advertisement -
- Advertisement -

“જેમાં ઉપસ્થિત જિલ્લા કોર્ડિનેટર મયુરભાઈ સોલંકી, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડૉ.ભૂમિબેન જીતેન્દ્રકુમાર માકડિયા, જેન્ડર સ્પેસ્યાલિસ્ટ અમિતભાઈ પઢારીયા, અશ્વિનીબેન પાટડિયા, વિવેકભાઈ ગોલતર, છાયાબેન દલસાણીયા (વકીલ) તથા મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખશ્રી દિલીપભાઈ અગેચાણીયા હાજર રહ્યા હતા. લોક-કલ્યાણકારી યોજનાઓ જેવી કે વિધવા સહાય યોજના અને વૃદ્ધ પેન્શન યોજના તેમજ વહાલી દીકરી યોજના, વિકલાંગ યોજના માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના જરૂરિયાતમંદ, નિરાધાર વૃદ્ધો અને વિધવા બહેનોને ઘર આંગણે જ સરકારી સહાયનો લાભ મળી રહે તે માટેનો હતો.
આ કેમ્પમાં વિસ્તારના અગ્રણી, આદરણીય નાગરિકો, તેમજ લાભાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કેમ્પમાં મહિલાઓની ભાગીદારી ખૂબ જ નોંધપાત્ર રહી હતી. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમાંથી ઘણી ખરી મહિલાઓ અને વૃદ્ધોને જરૂરી સરકારી ફોર્મ સ્થળ પર જ ભરીને વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી, જેથી તેમને વહેલી તકે પેન્શન અને સહાય મળવાની શરૂઆત થઈ શકે.

કેમ્પમાં ઉપસ્થિત આદરણીય મહેમાનોએ સરકારી યોજના અને જીવનમાં શિક્ષણનું મહત્વ તેમજ વ્યસન મુક્તિ માટેના પ્રવચન આપ્યા હતા. તેમજ સચોટ માહિતીના અભાવે ઘણા લોકો આ લાભોથી વંચિત રહી જતા હોય છે, ત્યારે આવા કેમ્પના માધ્યમથી માનવી સુધી સહાય પહોંચાડવાનો આ પ્રયાસ ઉત્તમ છે.

આ કેમ્પને સફળ બનાવવા માટે સ્થાનિક યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. કેમ્પના અંતે લાભ લેનાર તમામ ભાઈ-બહેનોએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!