Thursday, April 25, 2024
HomeGujaratમોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા રાજપૂત કરણી સેનાનાં હોદ્દેદારોનું સન્માન કરાયું

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા રાજપૂત કરણી સેનાનાં હોદ્દેદારોનું સન્માન કરાયું

મોરબીમાં રાજપૂત કરણી સેનાના જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા તથા મોરબી શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ ૩ માસના બાળક ધૈર્યરાજસિંહ રાઠોડની મેડિકલ સહાય માટે ફાળો એકઠો કરવાનું સેવાકાર્ય કરવામાં આવેલ હતું. તેને અનુલક્ષીને ગઇકાલે પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા રાજપૂત કરણી સેનાનાં હોદેદારોનું સન્માન કરાયું હતું.

- Advertisement -
- Advertisement -

ધૈર્યરાજસિંહ રાઠોડ નામના ત્રણ માસના માસુમ બાળકની ગંભીર બીમારીના ખર્ચને પહોંચી વળવા માટે કરણી સેના-મોરબી દ્વારા જહેમત ઉઠાવીને રૂ. ૪૫ લાખ કરતાં વધુ રકમ એકઠી કરવામાં આવી હતી. અને તેનું દાન ધૈર્યરાજસિંહના પિતાને રૂબરૂ મળીને આપવામાં આવ્યું હતું. આ ઉમદા કાર્ય કરવા બદલ પરશુરામ યુવા ગ્રુપે રાજપૂત કરણી સેનાના મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા તથા મોરબી શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા તથા તેમની ટીમને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે પરશુરામ યુવા ગ્રુપમાંથી ધ્યાનેશભાઈ રાવલ, નીરજભાઈ ભટ્ટ તથા ધર્મેન્દ્રભાઈ જોશીએ આયોજન કરેલ હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!