Saturday, April 27, 2024
HomeGujaratવાંકાનેરનાં રાતીદેવળી ગામે જુના મનદુઃખનો ખાર રાખી યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો,...

વાંકાનેરનાં રાતીદેવળી ગામે જુના મનદુઃખનો ખાર રાખી યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો, ફરિયાદ નોંધાઈ

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી લાલજીભાઈ ભલાભાઈ વોરા (ઉ.વ.-૫૬ ધંધો-કડીયાકામ રહે- ગામ-જુના રાતીદેવળી તા.વાંકાનેર) એ આરોપીઓ વસંતભાઈ ખેંગારભાઈ વોરા, કાળુભાઈ વસંતભાઈ વોરા, પોપટભાઈ વસંતભાઈ વોરા, વિજયભાઈ પરસોતમભાઈ વોરા, રમેશભાઈ ગોરધનભાઈ વોરા (રહે- પાંચેય ગામ જુની રાતીદેવળી તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી છે કે, તા.૮ ના રોજ આરોપીઓએ ફરીયાદીને જુના મનદુખનો ખાર રાખી ગાળો બોલતા હોય. જેથી, આ કામના ફરીયાદીના દિકરા સાહેદ પ્રકાશે ગાળો ન બોલવા ઠપકો આપતા જેનુ સારૂ નહિ લાગતા આરોપીએ પ્રકાશને લાકડાના ધોકા વતી જમણા પગે તથા બીજા આરોપીઓએ લોખંડના પાઈપ વતી સાહેદ પ્રકાશને જમણા પગે પેનીના ભાગે ફ્રેક્ચરની ઇજા પહોંચાડી તેમજ સાહેદ પ્રકાશને ઢીકાપાટુનો શરીરે વાંસામા મુંઢ માર મારી સાહેદ પ્રકાશને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ બનાવ અંગે નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!