Friday, April 26, 2024
HomeGujaratમોરબીમાં સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઠંડીમાં ઠુંઠવાતા નિરાધારોને ધાબળા વિતરણ કરાયું

મોરબીમાં સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઠંડીમાં ઠુંઠવાતા નિરાધારોને ધાબળા વિતરણ કરાયું

શિયાળાની કડકડતી ઠંડીમાં ઘર વિહોણા અને ફૂટપાથ પર રહેતા ગરીબોને જીવવું મુશ્કેલ પડતું હોવાથી ઠંડીમાં ઠુંઠવાતા લોકોને રક્ષણ મળી રહે તે માટે મોરબીમાં ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને કચ્છ/મોરબીના સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાની સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, ભુજના માધ્યમથી ધાબડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમાજ નવનિર્માણ ટ્રસ્ટના સભ્યો દ્વારા રાત્રી દરમિયાન મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી ફૂટપાથ પર રહેતા લોકોને ધાબળા ઓઢાડી હૂંફ આપવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

ઉલ્લેખનીય છે કે મોરબી પંથકમાં સેવાકીય કાર્યોની સુવાસ પ્રસરાવતી સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, ભુજની કાબીલેદાદ કામગીરીને વિસ્તારવાસીઓ મુક્ત મને બિરદાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!