Friday, April 26, 2024
HomeGujaratમોરબીના મુખ્ય માર્ગો પર સેનિટાઈઝેશન કરાયું

મોરબીના મુખ્ય માર્ગો પર સેનિટાઈઝેશન કરાયું

વધતા જતાં કોવિડ-૧૯ના સંક્રમણ વચ્ચે મોરબી પાલિકા એક્શન મોડમાં આવી છે અને ગઈકાલે શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રી દરમિયાન સેનીટાઇઝરનો છંટકાવ કરવામાં આવતો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી પાલિકા દ્વારા ગઈકાલે શુક્રવારે મોડી રાત્રે શનાળા રોડ, નવા બસસ્ટેન્ડ, નહેરુગેટ ચોક, ગાંધીચોક સહિતના વિસ્તારોમાં સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. મળતી માહિતી મુજબ દરરોજ રાત્રે અલગ અલગ વિસ્તારોમાં આ કામગીરી આવનારા દિવસોમાં પણ ચાલુ રહેશે.આ સંજોગોમાં નગરજનોએ પણ આ લડાઈમાં પોતાનો સહયોગ આપવો જરૂરી બન્યો છે. જાહેર જગ્યાઓ પર માસ્ક હંમેશા પહેરીને રાખવું, સામાજિક અંતર જાળવવું અને ભીડ એકઠી ન કરીને તંત્રને સહયોગ આપી એક જવાબદાર નાગરિક તરીકેની ભૂમિકા ભજવવી સાંપ્રત સમયની માંગ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!