Saturday, May 4, 2024
HomeGujaratમાળીયા(મીં)ના સરવડ ગામે તસ્કરોના ધામા:સોનાનાં દાગીના સહીત રોકડા મળી ૧.૪૭ લાખની માલમતાની...

માળીયા(મીં)ના સરવડ ગામે તસ્કરોના ધામા:સોનાનાં દાગીના સહીત રોકડા મળી ૧.૪૭ લાખની માલમતાની ઉઠાંતરી

ગુજરાતમાં શિયાળો શરુ થતા જ તસ્કરો એક્ટિવ થયા છે અને રાત્રીના અંધારાનો લાભ લઇ ઠેર ઠેર ઘરફોડ ચોરીને અંજામ આપી રહ્યા છે. ત્યારે માળીયા મીં.માં વધુ એક ઘરફોડ ચોરીને તસ્કરોએ અંજામ આપ્યો છે. અને કુલ રૂ.૧,૪૭,૦૦૦/-ની મત્તાનાં દાગીના તેમજ રોકડ રૂપિયાની ચોરી કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો અનુસાર, માળીયા મી.ના સરવડ,રામજી મંદીરની વચ્ચેની શેરીમાં રહેતા અમ્રુતલાલ છગનલાલ લોદરીયા નામના આધેડ ગઇકાલે તેનાં ઘરે સૂતા હતા. ત્યારે અંધારાનો લાભ લઈ કોઇ અજાણ્યા ચોર ઈસમોએ તેમના ઘરમાં પ્રવેશી લાકડાનો કબાટ તોડી ફરીયાદીના કબાટમા રાખેલ રોકડા રૂપીયા- ૨૭,૦૦૦/- તથા સોના દાગીના રૂ..૧,૨૦,૦૦૦/- મળી કુલ રૂપીયા-૧,૪૭,૦૦૦/- ની ઘરફોડ ચોરી કરી ફરાર થઈ જતા અજાણ્યાં શખ્સ વિરુદ્ધ માળીયા મીં. પોલીસ મથકે ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!