Saturday, April 27, 2024
HomeGujaratચરાડવા ગામે તસ્કરો મહાકાળી આશ્રમની દાનપેટી ઉઠાવી ગયા :70 હજારની ચોરીની ફરિયાદ...

ચરાડવા ગામે તસ્કરો મહાકાળી આશ્રમની દાનપેટી ઉઠાવી ગયા :70 હજારની ચોરીની ફરિયાદ નોંધાઈ

હળવદ પંથકમાં તસ્કરોએ માતાજીના મંદિરને પણ ન છોડ્યું હોય તેમ ચરાડવાના મહાકાળી આશ્રમની દાનપેટી ઉઠાવી ગયા હતા આ અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હાડ થીજવતી ઠંડીનો લાભ લઇ હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ મહાકાળી આશ્રમને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં ગાત તા. 14 ની રાત્રીના સમયે પ્રવેશ કરી મંદીરમાં રહેલ દાનપેટીની ચોરી કરી ઉઠાવી ગયા હતા. મંદિરની દાન પેટીમાં આશરે રોકડ રૂપિયા ૬૦ થી ૭૦ હજાર હોવાનું વનરાજભાઈ વાઘજીભાઈ પઢીયાર (ઉ.વ.૨૬ રહે.ચરાડવા તા.હળવદ જી.મોરબી)ની ફરિયાદ પરથી જાહેર થવા પામ્યું છે. ફરિયાદને પગલે તસ્કરોની ભાળ મેળવવા પોલીસે આજુબાજુના સીસીટીવી તપાસવા સહિતની કામગીરીનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!