Tuesday, May 21, 2024
HomeGujaratમોરબી ખાતે રહેણાંક મકાનમાં તસ્કરોનો હાથફેરો: રોકડ, દાગીના સહિત 49 હજારનો મુદ્દામાલ...

મોરબી ખાતે રહેણાંક મકાનમાં તસ્કરોનો હાથફેરો: રોકડ, દાગીના સહિત 49 હજારનો મુદ્દામાલ ઉસેડી ગયા

હાડ થીજવતી ઠંડીનો લાભ લઇ તસ્કરો સક્રિય થઈ રહ્યા છે જેને લઈને અવારનવાર ચોરીના બનાવો પ્રકાશમાં આવે છે તેવા સંજોગો વચ્ચે મોરબીની દફતરી શેરી તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી રોકડ, દાગીના સહિત 49 હજારની ચોરી કરી લઈ ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

શહેરની દફતરી શેરીમાં આવેક હિરાભુવન પાસે રહેતા ધિમલગીરી હર્ષદગીરી ગોસાઇ (ઉ.વ.૩૨)ના મકાનના દરવાજાનુ તાળુ તોડી અજાણ્યા ચોરએ મકાનમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ રૂમમા કબાટની તિજોરી ખોલી રોકડ રૂ.૧૦,૫૦૦તથા સોના ચાંદીના દાગીના કિ.રૂ. કિ.રૂ.૩૮,૫૦૦ મળી કુલ રૂ.૪૯,૦૦૦ ની ચોરી કરી લઈ ગયા હતા આ અંગે મકાનમાલિક ધિમલગીરીને જાણ થતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં અજાણ્યાં શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છી જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!