Friday, March 29, 2024
HomeGujaratમોરબીમાં પારિવારિક અદાવતનો ખાર રાખી પુત્રએ પિતા પર હુમલો કર્યો : ફરીયાદ...

મોરબીમાં પારિવારિક અદાવતનો ખાર રાખી પુત્રએ પિતા પર હુમલો કર્યો : ફરીયાદ નોંધાઈ

મોરબીના લીલાપર રોડ ઉપર ભાણેજ વહુને ભગાડી જવા મુદ્દે મારામારી થઈ હતી. જેમાં પુત્રએ પિતા ઉપર ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં વૃદ્ધ પિતાએ પોતાના પુત્ર સામે હુમલો કર્યાની એ ડિવિજનમાં ફરિયાદ નોંધાવી છે. એ ડિવિજન પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

આ બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના લખધીરનગર (નવાગામ) લીલાપર રોડ મચ્છુ-૨ ડેમ પાસે રહેતા ખાનાભાઈ શામજીભાઈ ચૌહાણ (ઉ.વ.૬૦) એ આરોપી પુત્ર ડાયાભાઈ ખાનાભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૨૮ના રોજ મોરબી લીલાપર રોડ હોથીપીરની દરગાહ પાસે વરીયા નળીયાના કારખાનાની નજીક આરોપી ફરીયાદીના પુત્ર થતા હોય અને આરોપીએ આશરે બે મહીના પહેલા પંચાસર ગામે રહેતી તેની ભાણેજ વહુને ભગાડી જતો રહેલ હોવાથી ફરીયાદીએ આરોપી પાસેથી ભાણેજ વહુને લઇ તેમના સગા ને સોપી દીધી હતી જે બાબતનો ખાર રાખી આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી આરોપીએ પોતાની પાસે રહેલ પાવડાનો લાકડાનો હાથો લઈ ફરીયાદીના જમણા હાથના પંજામાં એક ઘા મારી દેતા ફરીયાદીને ફેક્ચર જેવી ઈજા કરી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!