Sunday, April 28, 2024
HomeGujaratટંકારા: ક્ષય રોગની બીમારી સબબ ૩૫ વર્ષીય મહિલાનું મોત

ટંકારા: ક્ષય રોગની બીમારી સબબ ૩૫ વર્ષીય મહિલાનું મોત

ટંકારા તાલુકાના જીવાપર ગામે રહેતા પરિણીત મહિલાનું ક્ષય રોગની બીમારીને લીધે પ્રથમ મોરબી ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરતા રાજકોટ પહોંચે તે પહેલા રસ્તામાં જ મહિલાનું મોત નિપજતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં અ.મોતની નોંધ કરી પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર ટંકારા તાલુકાના જીવાપર ગામે રહેતા ગીતાબેન કરણભાઇ વરુ ઉવ.૩૮ ને ટી.બી ની બિમારી સબબ મોરબીની ખાનગી હોસ્પિટલમા દાખલ હતા ત્યાથી વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફત રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે રિફર કરતા હોય ત્યારે રાજકોટ જતા રસ્તામા ખજુરા હોટેલથી આગળ હરબટીયાળી પાસે પહોચતા ગીતાબેનનું ચાલુ વાહને ડેથ થયેલ હતું. ત્યારે ગીતાબેનની ડેડબોડી તેમના દિયર ગોવિંદભાઇ ટંકારા સરકારી હોસ્પિ.મા લાવતા ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી ગીતાબેનને મરણ જાહેર કરેલ હતા. પ્રાથમિક પ્રાપ્ત વિગત મુજબ મૃતક ગીતાબેનનો લગ્નગાળો અગીયાર વર્ષ હોય. હાલ ટંકારા પોલીસે બનાવ અંગે અ.મોત નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!