Tuesday, June 9, 2026
HomeGujaratસજાના વોરંટથી સાત મહિના સુધી ફરાર રહેલો આરોપી આખરે ઝડપાયો : ભક્તિનગર...

સજાના વોરંટથી સાત મહિના સુધી ફરાર રહેલો આરોપી આખરે ઝડપાયો : ભક્તિનગર પોલીસની સફળ કામગીરી

રાજકોટ શહેરમાં સજાના વોરંટથી બચવા માટે છેલ્લા સાત મહિનાથી નાસતા ફરતા આરોપીને ભક્તિનગર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોર્ટ દ્વારા જાહેર કરાયેલા વોરંટની બજવણી માટે હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશ દરમિયાન પોલીસે આ મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.

- Advertisement -
- Advertisement -

રાજકોટ પોલીસ દ્વારા શહેરમાં સઘન પેટ્રોલિંગ અને વોન્ટેડ આરોપીઓની શોધખોળની કામગીરી ચાલી રહી છે. આ અભિયાન અંતર્ગત ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. પરમારે સજાના વોરંટ ધરાવતા આરોપીઓને શોધી કોર્ટના આદેશોની અસરકારક બજવણી કરવા સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓના અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.જે. ગોહીલના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ કેતનભાઈ બોરીચા અને પોલીસ કોન્સ્ટેબલ વસંતભાઈ બાલાસરા પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન રાજકોટની નામદાર કોર્ટમાં નોંધાયેલા ફોજદારી કેસ નંબર 18047/2023 હેઠળ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ સંબંધિત ગુનામાં સજાના વોરંટથી ફરાર આરોપી હુડકો ચોકડી વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી દરોડો પાડી આરોપી નિકુંજભાઈ ગોરધનભાઈ સોલંકીને ઝડપી લીધો હતો. આરોપીની ધરપકડ બાદ તેને કોર્ટ સમક્ષ રજૂ કરવાની તેમજ વોરંટની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!