Thursday, April 25, 2024
HomeGujaratમાળિયા તાલુકાનાં વાધરવા ગામે તળાવમાં ડૂબેલાં રેલ્વે કર્મચારીનો મૃતદેહ મળ્યો

માળિયા તાલુકાનાં વાધરવા ગામે તળાવમાં ડૂબેલાં રેલ્વે કર્મચારીનો મૃતદેહ મળ્યો

માળીયા તાલુકાના વાઘરવા ગામે આવેલ તળાવમાં પાણીની બોટલ ભરવા જતાં પગ લપસતા ગઈકાલે સાંજે એક રેલ્વે કર્મચારી ડૂબ્યો હતો.

- Advertisement -
- Advertisement -

માળિયાના વાઘરવા ગામે ગઈકાલે સાંજે મનોજભાઈ ધામેચા નામનો રેલ્વે કર્મચારી તળાવમાં પાણીની બોટલ ભરવા જતાં પગ લપસી જતા તળાવનાં પાણીમાં ડૂબી ગયો હતો. બનાવની જાણ થતા સરપંચ સહિતના આગેવાનો, ગ્રામજનો સ્થળ પર દોડી ગયા હતા. બનાવની જાણ થતાં મોરબી ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે દોડી જઈને રેલ્વે કર્મચારીની શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ ફાયર ટીમને મોડી રાત્રે રેલવે કર્મચારીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં તેનાં મૃતદેહને પીએમ અર્થે ખસેડી બનાવ અંગે નોંધ કરી માળીયા પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!