Thursday, April 25, 2024
HomeGujaratમોરબીમાં નર્મદા કેનાલમાં ડૂબી જતા યુવકનું મોત, લાશ મળી

મોરબીમાં નર્મદા કેનાલમાં ડૂબી જતા યુવકનું મોત, લાશ મળી

મળતી માહિતી અનુસાર મોરબીના ઘુટૂ ગામની સીમમાં આવેલા લખધીરપુર રોડ પરથી પસાર થતી નર્મદા કેનાલમાં પાણી ભરવા જતા એક યુવકનો પગ લપસી જતા કેનાલમાં ડૂબી ગયો હતો. અને પાણીના પ્રવાહમાં દૂર તણાઈ ગયો હતો. સ્થાનિકોએ તેની શૉધખોળ કરી હતી. બીજી તરફ ફાયરની ટીમને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં મોરબી તાલુકા પોલીસની ટીમ, મોરબી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવકની શોધખોળ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં યુવકનું નામ શ્યામ સંજયભાઈ મકવાણા હોવાનું અને મૂળ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મેસવાણ ગામનો વતની અને મોરબીના જુના હાઉસિંગ બોર્ડમાં રહેતો હતો અને સીરામીક ફેકટરીમાં કામ કરતો હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!